કિશોર કૂમાર- હરફન મૌલા
4
ઓગસ્ટ 1929 નાં રોજ જન્મ્યા હતા, બંગાળી પરિવારમાં. અને નામ પાડવામાં આવ્યું આભાસ
કુમાર. અવાજ ગાવા લાયક નહીં હતો, પણ એક વખત ઇજા થવાને કારણે લામ્બા સમય સુધી રડતા
રહેવાથી અવાજમાં પરિવર્તન આવ્યું અંને સુરીલો બન્યો. કુન્દનલાલ સાયલગનાં તેઓ અન્ય
સ્થાપીત ગાયકો સ્વ. મહમ્મદ રફી સાહેબ અને સ્વ. મૂકેશજીની જેમ જ પરમ ભક્ત રહ્યા હતા
અને તેમની શૈલીમાં તેમનાં ગીતો ગાતા રહેતા હતા, તે દરમિયાન સ્વ. સચીન દેવ બર્મન જી
અને અશોક કુમારજી કોઈ ક સમયે મળ્યા ત્યારે તેમનાં સાંભળવામાં કિશોરદા નું ગીત
ગણગણતા હતા એ આવ્યું તો તેમણે ઘણા પ્રભાવિત થઈ એક મહત્વનું સુચન કર્યું, કે
સાયગલજી ને ગાયક તરીકે ભજવા એ ઘણી સારી વાત છે, પણૅ દરેકે પોતાની મૌલીક શૈલીથી જ
ગાવુ6 જોઈએ, માટે તેમણે પોતાની શૈલીમાંથી સાયગલ સાહેબને અલગ કરવા. અને કિશોરદાએ
પોતાનાં જ અવાજમાં યોડલિંગ સાથે ગાવાનું શરૂ કર્યું. કહેવાય છે, કે એસ ડી બર્મન
જીએ તેમને પહેલી તક ફિલ્મ શિકારી માં આપી. પણ તે ગીત વિશે ચોક્કસ માહિતી પ્રપ્ત
નથી. પણ સ્વ. ખેમચંદ પ્રકાશજીનાં ફિલ્મ જિદ્દી નાં ગીત મરને કી દુવાએ તથા લતાજી
સાથેનાં યુગલ ગીત યે કોન આયા થી ખાસા જાણીતા થયા. ફિલ્મ જિદ્દી બનતી હતી ત્યારે
સ્ટૂડિયોમાં આવતી વખતે તેઓ લતાજી થી અજાણ હતા અને તેમને ખબર જ નહી હતી, કે તેમની
આગળ લતાજી જેવા કઈક અંશે સ્થાપીત પાર્શ્વ ગાયિકા ચલી રહ્યા છે, અને લતાજીને પણ
તેમની પાછળ ભવિષ્યનાં મહાન ઓલ રાઉંડર કલાકાર ચાલી રહ્યા છે, તેમણે સંગીતકાર ખેમચંદ
પ્રકાશને ફરિયાદ કરી કે આ કોઈ સ્ટેશન થી સ્ટૂડિયો સુધી મારો પિછો કરતો રહ્યો છે,
ત્યારે ખેમચંદજીએ કહ્યું કે આતો આ ફિલ્મની નિર્માણ કમ્પની બોમ્બે ટૉકીઝનાં હાલનાં
માલિક શ્રી અશોક કૂમારજીનો ભાઈ છે. પછી તો હાસ્ય વચ્ચે આ વાત પૂરી થઈ. કિશોરદા
જ્યારે લતાજી સાથે ગીત ગાવાનાં હોય્
ત્યારે પોતાની ફી લતાજી આ ક્ષેત્રે તેમનાં થી સિનિયર હોવાથી તેમનાં કરતા એક
રૂપિયો ઓછી રાખતા રહ્યા હતા. તે સમયનાં ઘણા સંગીતકારો એ તેમને ફક્ત તેમનાં પોતાનાં
અભિનય વાળી ફિલ્મોમાં તેમનાં પર ફિલ્માવાતા ગીતો આપ્યા હતા, પણ એસ ડી બર્મન અને
દેવાનંદજી ની જોડી ઉપરાંત સ્વ. અનિલ વિશ્વાસ અને સંગીત કાર સુધીર ફડકે એ તેમને
અન્ય અભિનેતાઓનાં ગીત આપ્યા હતા. જ્યારે સ્વ. અનિલ વિશ્વાસે એક વેળા એવું નિવેદન
કર્યું, કે કિશોર કૂમાર મહમ્મદ રફી કરતા પણ મહાન ગાયક છે, ત્યારે આ વિધાનનો વિરોધ
કરતા પત્ર શ્રી અનિલ વિશ્વાસને લખવામાં કિશોરદા પણ હતા. અભિનયથી છટકવા તેઓ જાત જાતનાં ખેલ કરતા જેમાં
પોતાનું માથું મુંડાવવા સુધીની હરકતો હતી, પણ 60 નાં દાયકામાં તેમની અભિનય
કારકિર્દી એકદમ સફળ રહી, ખાસ કરીને હીરો-કોમેડિયન તરીકે. સ્વ. સલિલ ચૌધરી તેમને
નોકરી ફિલ્મ માટે તેમનાં અભિનય પર ગીત આપવા શરૂમાં તૈયાર નહીં હતા, પણ જ્યારે તેમને
કહેવામાં આવ્યું કે કિશોર દા પન ગાય છે, ત્યારે ગીત આપ્યા. પણ ફિલ્મ હાફ ટિકીટ
માટે જ્યારે તે સમયે શ્ત્રી વેષી પુરૂષ પાત્ર માટે ની પાર્શ્વ ગાયિકા તરીકે પાછલી
કારકિર્દીમાં જાણીતા થયેલા શમસાદ બેગમ ઉપલબ્ધ નહીં થયા, ત્યારે આ પ્રકારનાં ગીત
માટે કિશોર દાએ પોતે જ બે અવાજમાં (પ્રાણ સાહેબ માટે પોતાનો અસલ આવાજ અને પોતાનાં
સ્ત્રીવેષ માટે પોતાનો બદલેલો આવાજ) ગીત ગાઈ શકશે એમ કહીને મુજવણનો અંત લાવ્યા
હતા. અને આજે પણૅ આ ગાયન સંગીત હરીફાઈમાં સ્થાન પામે છે. હાસ્ય ગીતો માં ચાલૂ ગીતે
અવનવી હરકતો ઉમેરવાની તેમની આદતથી સાથી પુરૂષ અને સ્ત્રી વાયક ગાયિકાઓ એ ખાસા સતર્ક
રહેવું પડતું હતું. તેઓ આઈ એસ જોહર અને
મહેમૂદ દરેક એક બીજા માટે અનહદ માન ધરાવતા હતા. મેહમૂદની ફિલ્મ દો ફૂલનાં આશાજી
સાથેનાં ગીત ઉત્તકોડી માટે પ્રથમ પસંદ
કિશોરદા હતા અને એઓ વ્યસ્ત હોવાથી ચિત્રીકરણની ઉતાવળ માટે ડમી તરીકે મેહમૂદે આ
ગાયન ગાયું, પણ આ ગીત જેવું કિશોરદાએ સાંભળ્યું, કે તરત પોતે ગાવાની નાં પાડી કે આ
જ ગીત રાખો, જ્ત્યારે મેહમૂદે કહ્યું, કે મે તો અગડમ બગડમ ગાયું છે, તો કિશોરદાએ
કહ્યું, કે એ જ તો આ ગીતની સુંદરતા છે. ફિલ્મ પડોશનમાંનાં શાસ્ત્રીય-હાસ્ય ગીત એક
ચતૂર નાર ની વાતો તો કઈ જગ્યાએ કહેવાઈ અને લખાઈ ગઈ છે, કે મહેમૂદે કહ્યું, કે
મન્ના ડે ને મારું પાશ્ર્વગાન આ ગીત માટે આપવાનું છે, પણ શરૂઆતમાં મન્ન દાએ વિરોધ
કર્યો, કે પોતે શાસ્ત્રીય ગાયક થઈને જે વ્યક્તિ શાસ્ત્રીય ગાયન શીખી જ નથી તેની
સામે હારવાનું પસંદ નહીં કરે, પણ પછે મેહમૂદે કહ્યું, કે જ્યારે મારા પાત્રએ
હારવાનું છે, ત્યારે આપ થોડું, દબાતું ગાશો, અને કિશોરદાએ મહેમૂદને કહ્યું, કે
રાહૂલ દેવ બર્મનને સમજાવી દો, કે આ રેકોર્ડિંગ ની જવાબદારી પોતાને સોપે, અને આ
ગીતની સરગમ પોતે લખી, અને ચાલુ રેકોર્ડિંગ સમયે હરકતો ઉમેરીને ગીત પોતાની તરફ
વાળતા ગયા. . તેમનું પાગલપણ ફિલ્મી દુનિયાનાં કેટલાક સ્વાર્થી તત્વોથી એક રક્ષણ
મેળવવા માટે બુદ્ધિપૂર્વકનો અભિનય જ હતો, તેનાં મદાદનીશનો ગીતનું મહેનતાણું, મળવા
બાબતના ઇશારા બાદજ ગીત ગાવાનું શરૂ કરતા, અને જ્યારે પોતાની નિર્મીત ફિલ્મ માટે પણ
મહેનતાણા બાબતે ઇશારાની રાહ જોવા લાગ્યા, ત્યારે મદદનીશે કહ્યું, કે સાહબ, આ તો
આપની જ ફિલ્મ છે. જ્યારે સંગીતકાર જયદેવજીએ તેમને અતિ શુદ્ધ શાસ્ત્રીય ગીત માટે
તેમણે ના પાડવા છતા ય આગ્રહ રાખ્યો, ત્યારે તેઓ મુમ્બઈની બહાર રેકોર્ડિંગ સમયે
ચાલ્યા ગયા અને આ પહેલા ગૌરાંગ વ્યાસનાં સંગીત નિર્દેષન વાળી ગુજરાતી ફિલ્મમાં ગીત
ગાવા માટે સમ્મતી આપી ચૂક્યા હતા, અને જ્યારે ગૌરાંગ ભાઈને જયદેવજીનાં કિસ્સની ખબર
પદી ત્યારે ગભરાતા ગભરાતા તેઓએ કિશોરદાને પોતાના રેકોર્ડિંગ માટે યાદ કરાવવા રૂબરૂ
ગયા, તો કહે કે હા હું ગાઈશ. પણ ત્યારે ગૌરાંગ ભાઈએ કહ્યું, કે આપ તો હા કહીને
બહારગામ ચાલ્યા જાઓ છો, તો મોટે થી હસીને કહ્યું, કે મને મન્નાદા ને લાયકનું ગીત
આપે, તો હું શું કરું ? તું નિરાંતે ઉંધજે. અને પોતોઆનું વચન પાળ્યું. સ્વ.
સત્યજીત રે જે કિશોરદાનાં પ્રથમ પત્ની અને અમીતકૂમારનાં માતા રૂમા ગાંગૂલીનાં નજીકનાં
સમ્બંધી હતા તેઓ કિશોરદા માટે અનહદ માન ધરાવતા હતા. તેમનાં પુત્ર સંદીપ રે એ
કિશોરદા પર એક દસ્તાવેજી ફિલ્મ જિંદગી એક સફર બનાવી છે, જેમાં આવાજની દુનિયાનાં
બેતાજ બાદશાહ શ્રી અમીન સાયાનીજીની કોમેન્ટ્રી છે.. દૂર ગગન કી છાંવમેં થી આપણે એક
અલગ કિશોરદાને અભિનેતા તરીકે જ નહીં પણ સંજીદા નિર્માતા, નિર્દેષક અને સંગીતકાર
તથા ગીતકાર તરીકે મેળવી શક્યા.
Tuesday 26 February 2013
કિશોર કૂમાર- હરફન મૌલા
Tuesday 12 February 2013
તા. 19-07-2012-શ્રીગુજરાત મિત્ર-(અપ્રકાશિત) વિષય: વિવિધ ભારતી-રાષ્ટ્રીય પ્રસારણ, અભિનેતા, ક્રિષ્ણકાન્તજી અને ગુજરાત મિત્ર
પિયુષ મહેતા
બી-7, જીવન
પ્રભા,
સ્નેહ મિલન બાગ
પાસે,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા,
સુરત-395001.
તા. 19-07-2012.
પ્રતિ,
તંત્રી
શ્રીગુજરાત મિત્ર,
(ચર્ચાપત્ર
વિભાગ),
સુરત.
વિષય: વિવિધ
ભારતી-રાષ્ટ્રીય પ્રસારણ, અભિનેતા, ક્રિષ્ણકાન્તજી અને ગુજરાત મિત્ર
તા. 19 જૂલાઈ,
2012 નાં રોજ વિવિધ ભારતી સેવાનાં રાષ્ટ્રીય પ્રસારણ અંતર્ગત, રાજેષ ખન્નાને
શ્રોતાઓ દ્વારા ફોન કરીને શ્રદ્ધાંજલી અર્પતા શ્રી મમતા સિંહ દ્વારા પ્રસ્તૂત વિષેષ કાર્યક્રમ હલ્લો ફરમાઈશમાં સુરતનાં મારા
માટે પણ વડીલ એવા વરીષ્ઠ શ્રોતા અને ગુજરાત મિત્રનાં ચર્ચાપત્રી શ્રી પાનાચંદભાઈ
જગીવાળાએ પોતાનો
શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યો હતો, તે દરમિયાન, તેમણે, રાજેષ ખન્નાએ પોતાની સુરતની
મુલાકાત વખતે આદર પૂર્વક શ્રી ક્રિષ્નકાંતજીને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી
અને તેમને તેમનાં ઉતારા પર આદરપૂર્વક બોલાવીને પ્રેમથી મળ્યા હતા અને વાતો કરી હતી
અને આ બાબતે પાનાચંદભાઈ દ્વારા જાણકારી રૂપે કે કે અને કાકા ની પ્રેમ ભરી મુલાકાત
તરીકે ગુજરાત મિત્રમાં ‘કે કે કો બુલાને કાકા મુમ્બઈ સે આયે’ શિર્ષક હેઠળ તે સમયે
પ્રસિદ્ધ થઈ હતી, તેવી વાત કરી હતી. આમ
કરીને તેમણે કે કે સાહેબની યાદ હિન્દી ફિલ્મોનાં રસીયાઓને રાષ્ટ્રીય અને ડીટીએચ
અને ઇન્ટરનેટ પ્રસારણ નાં માધ્યમથી કઈક અંશે આતરરાષ્ટ્રીય સ્તરે, વિવિધ ભારતી
દ્વારા અપાવી જ. સાથે સાથે ગુજરાત મિત્ર, જે હાલ પોતાની વેબ સાઈટ દ્વારા
આંતરરાષ્ટ્રીય સ્તરે છે, જ પણ તે એક હદે ગુજરાતી ભાષાનાં જાણકાર વાચકો સુધી, તેને
પણ આ વાત દ્વારા હિન્દી સમજનારા શ્રોતાઓ સુધી જાણીતું કર્યું છે. આ બદલ પાનાચંદભાઈ,
કે કે સાહેબ અને ગુજરાત મિત્ર બધાને અભિનંદન.
પિયુષ મહેતા.
સુરત-395001.
Subscribe to:
Posts (Atom)