પિયુષ મહેતા
બી-7, જીવન
પ્રભા,
સ્નેહ મિલન બાગ
પાસે,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા,
સુરત-395001.
તા. 19-07-2012.
પ્રતિ,
તંત્રી
શ્રીગુજરાત મિત્ર,
(ચર્ચાપત્ર
વિભાગ),
સુરત.
વિષય: વિવિધ
ભારતી-રાષ્ટ્રીય પ્રસારણ, અભિનેતા, ક્રિષ્ણકાન્તજી અને ગુજરાત મિત્ર
તા. 19 જૂલાઈ,
2012 નાં રોજ વિવિધ ભારતી સેવાનાં રાષ્ટ્રીય પ્રસારણ અંતર્ગત, રાજેષ ખન્નાને
શ્રોતાઓ દ્વારા ફોન કરીને શ્રદ્ધાંજલી અર્પતા શ્રી મમતા સિંહ દ્વારા પ્રસ્તૂત વિષેષ કાર્યક્રમ હલ્લો ફરમાઈશમાં સુરતનાં મારા
માટે પણ વડીલ એવા વરીષ્ઠ શ્રોતા અને ગુજરાત મિત્રનાં ચર્ચાપત્રી શ્રી પાનાચંદભાઈ
જગીવાળાએ પોતાનો
શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યો હતો, તે દરમિયાન, તેમણે, રાજેષ ખન્નાએ પોતાની સુરતની
મુલાકાત વખતે આદર પૂર્વક શ્રી ક્રિષ્નકાંતજીને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી
અને તેમને તેમનાં ઉતારા પર આદરપૂર્વક બોલાવીને પ્રેમથી મળ્યા હતા અને વાતો કરી હતી
અને આ બાબતે પાનાચંદભાઈ દ્વારા જાણકારી રૂપે કે કે અને કાકા ની પ્રેમ ભરી મુલાકાત
તરીકે ગુજરાત મિત્રમાં ‘કે કે કો બુલાને કાકા મુમ્બઈ સે આયે’ શિર્ષક હેઠળ તે સમયે
પ્રસિદ્ધ થઈ હતી, તેવી વાત કરી હતી. આમ
કરીને તેમણે કે કે સાહેબની યાદ હિન્દી ફિલ્મોનાં રસીયાઓને રાષ્ટ્રીય અને ડીટીએચ
અને ઇન્ટરનેટ પ્રસારણ નાં માધ્યમથી કઈક અંશે આતરરાષ્ટ્રીય સ્તરે, વિવિધ ભારતી
દ્વારા અપાવી જ. સાથે સાથે ગુજરાત મિત્ર, જે હાલ પોતાની વેબ સાઈટ દ્વારા
આંતરરાષ્ટ્રીય સ્તરે છે, જ પણ તે એક હદે ગુજરાતી ભાષાનાં જાણકાર વાચકો સુધી, તેને
પણ આ વાત દ્વારા હિન્દી સમજનારા શ્રોતાઓ સુધી જાણીતું કર્યું છે. આ બદલ પાનાચંદભાઈ,
કે કે સાહેબ અને ગુજરાત મિત્ર બધાને અભિનંદન.
પિયુષ મહેતા.
સુરત-395001.
No comments:
Post a Comment