પિયુષ મહેતા
બી-7, જીવન પ્રભા
સ્નેઅહ મિલન બાગ પાસે ,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા, સુરત-395001.
તા. 25-09-2013.
પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાત મિત્ર (ચર્ચાપત્ર વિભાગ ),
સુરત.
વિષય : નદીઓની
રાષ્ટ્રીય ગ્રીડ ની જરૂરીયાત
આદરણિય તંત્રી
શ્રી,
હાલ નાં સુરત
શહેર પર ત્રાટકેલા દ્વિવીધ જળ સંકટ વિષે તા. 25 સપ્ટેમર, 2013નાં આપનાં દૈનિક
અંકમાં સુંદર રજૂઆત તંત્રી સ્થાનેથી કરવામાં આવી તે બાબતે મને જ્યાં સુધી યાદ છે,
ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કેટલાક વર્ષો પર દેશની બધી નદીઓને એક બીજા સાથે નહેરો દ્વારા
જોડવા માટેની એટલે નદીઓની રષ્ટ્રીય ગ્રીડની નિતી અને કાયદો ઘડી કાઢવા માટે તાકીદ
કરી હતી પણ જાહેર ધૂમ્રપાન નિષેધ કાયદાનાં અમલીકરણ જેવી જ આ આદેશની અત્યાર સુધી
કેન્દ્ર સરકાર પર થઈ છે. વર્ષો પહેલા કેન્દ્રીય સિચાઈ પ્રધાન શ્રી કે. એલ. રાવ આ
વિચાર નાં મુળ પ્રણેતા રહ્યા છે. શું શહેરનું કોઈ બિન સરકારી સેવાભાવી સંગઠન આ
બાબતે અદાલતમાં જાહેર હિતની અરજી કાયદાકીય પાસાઓ વિચારીને કરી શકે ? બાકી તો
સરકારોની નિતી એવી રહી છે, કે જ્યારે અન્યત્ર આફતો આવે ત્યારે અહીં થી કોઈ પણ રીતે
મદદ કહેવાતા એનજીઓઝ દ્વારા પડાવી લેવી પણ અહીં આવતી આફતો વખતે મદદનાં નામે નાના
ટૂકડા જ ફેકવા અને અહીં નાં વેપારીઓ અને નાગરીકો પાસેથી ઉધરાવાતા કરોમાં કોઈ કરતા
કોઈ રાહતો આપવી નહીં.
નાનપુરા, સુરત. પિયુષ મહેતા
.સમ્પર્ક: 2462789, 9898076606, 9429859536, piyushmehtasurat@gmail.com
No comments:
Post a Comment